સર્જન ને પ્રશ્ન

રામ નો વનવાસ ક્યારે પૂરો થશે?
મંદિર થી નીકળી ક્યારે હૈયે વસે?

આજ રાવણો ના માથા કેમ કરી ખૂટે?
આ નાગ પોતાની પૂછડીએજ કેમ ડસે?

બીજા ને પીડી માનવ શા માટે હસે?
એ ભરત થઇ ખુરસી થી ક્યારે ખસે?

“પથીક” માણસ થી માણસ કેમ નાસે?
આખી દુનિયા મો છુપાવી કેમ શ્વસે…?