જયરાજભાઇ ખવડ ની સાથે મારી છૈલી મુલાકાત – ભનુભાઇ ખવડ

જયરાજભાઇ નુ વ્યક્તિત્વ થી એકદમ પરિચિત હતો.

તેઓ સદા કાયમને માટે મને ભલામણ કરતા કે લોમેવધામ ધજાળા નુ એક પુસ્તક લખો અને ખવડનો ઇતિહાસ લખો મને બહુજ ઇચ્છા છે તેમની સાથે પૃવિણભાઇ ખાચર તો ખરાજ.

છેલે પુસતક નુ કામ પુરુ થયુ અને અમારે લોમેવધામ મળવાનુ થયુ સાથે પુ.ભરતબાપુ અને ભગીરથબાપુ પણ હતા. લોમેવધામ પુસ્તક નો કાચો ડ્રાફ્ટ જોઇ બહુજ ખુશ થયા અને અમો બને સાથે અજીતભાઇ ખવડ સેજકપર વાળા પણ સાથે હતા ત્યારે પુ.ધજાળાના ઠાકરની સમાધિ એ અમો ગયા અને ફોટા લીધા આ અમારી છેલી તસવીર હતી.

મને કહયુ કે ભનુભાઇ મારે કાલે છેલો ડોઝ લેવા જવાનુ છે હવે પછી નથી જવાનુ આ કદાચ કુદરત બોલાવતી હશે ખરેખર છેલો ડોઝ લીધો.

મને કહેતા કે ભનુભાઇ હુ ડોઝ લઇને આવુ પછી બે દિવસ મારે આરામની જરુર પડે છે પરંતુ બે દિવસ પછી હુ અને તમે બોટાદ જઇ પુ બાપુનુ પુસ્તક છપાવવા જઇશુ

પછી મે બે દિવસ પછી ફોન કયોઁ તો મને કહયુ કે ભાઇ આ વખતે થોડો શ્વાસ ચડે છે માટે હજુ ત્રણ દિવસ પછી મને આરામ થઇ જશે
મે કહયુ કોઇ વાંધો નહી આપણે આરામ કરો આપણે શાંતિ થી જઇશુ.

જયરાજભાઇ ને કાવ્ય અને લોમેવધામ ની ભાવ વંદના લખવાનો ખુબજ શોખ હતો જયારે જયારે રચના કરે ત્યારે પહેલા તે રચના મને મોકલતા અને કહેતા કે આમા થોડો સુધારો કરી મોકલો પછી હુ ગૃપમા મોકલીશ આવી તેમની પાસે નાનપ હતી.

અમે અવારનવાર મળતા પણ આ તસવીર અમારી છેલી હતી.

દુખ ઘણુ થયૂ છે પણ કદાચ ઇશ્વર ને જરુર હશે અને આ આતમા ને અડધા નાટક મા પાછો બોલાવી લીધો.

હે અંજુઁન જનમ મરણ નો શોક જ્ઞાની જનો નથી કરતા આ કુદરત નો અટલ નિયમ છે.

દશરથ રાજાના વિયોગ મા ભગવાન રામ પણ ભાંગી પડયા હતા ત્યારે વશિષઠજી પણ રામને કહે છે હે રામ જન્મ મરણ અટલ છે માટે આપ જેવા જ્ઞાનિ પુરુષો એ શોક કરવો તે ઉચિત નથી માટે શાંત થાઓ.

( ભનુભાઇ ખવડ (સેજકપર)ના રામ રામ)