સર્જન ને પ્રશ્ન
રામ નો વનવાસ ક્યારે પૂરો થશે?
મંદિર થી નીકળી ક્યારે હૈયે વસે?
આજ રાવણો ના માથા કેમ કરી ખૂટે?
આ નાગ પોતાની પૂછડીએજ કેમ ડસે?
બીજા ને પીડી માનવ શા માટે હસે?
એ ભરત થઇ ખુરસી થી ક્યારે ખસે?
“પથીક” માણસ થી માણસ કેમ નાસે?
આખી દુનિયા મો છુપાવી કેમ શ્વસે…?
Leave A Comment