Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

હોંકારાની જરૂર છે.

પ્રભુને માનવ ખરા હૃદયના ભાવથી જો ચેલેન્જ ફેકે તો પ્રભુને પણ આનંદ થાય કે કોઈક તો છે. જે મારા અસ્તિત્વમાં આંખો બંધ કરી ને નહી પણ ટકોરા મારીને પછી વિશ્વાસ મુકે છે… મેં પણ એક શિક્ષક હોવાને નાતે મેં પણ ભગવાન ની હાજરી પૂરી જોવાની ટ્રાઈ કરી જોઈ… જોઈએ ક્યારે હોંકારો મળે છે…
હું પ્રભુના હોંકારા અને તમારી (વાંચકો) ની કોમેન્ટ્સ ની રાહ જોવું છું…

આજ પણ તારા માનમાં મસ્તક નમી જાય છે,
તુજ પરમેશ્વર છે, હવે સાબિતીની જરૂર છે.

તે ખુબજ પરીક્ષાઓ લીધી, હવે મારો વારો છે.
હું જયારે તારો નંબર બોલું, હોંકારા ની જરૂર છે.

કદી ના દેખાનારો તું, દરેક રંગ માં હોવાનો છે,
બહુ ફરિયાદો છે, મારે ન્યાયધીશ બનવાની જરૂર છે.

ઉંબરે ઉંબરે, ટોડલે ટોડલે તારો વાસ હોય છે.
બહુ ખુશ દેખાય છે, ઠેબે ચડાવવાની જરૂર છે.

કાઠી માટેનું શૌર્ય ગીત..

વટ રાખવો પડે કોકદી વેરે, ભડ તો સામે પાગ ભરે,
પ્રાઠી ઘર ધખશાળી પંવગે, કાઠી ભાલે માગ કરે,

પાવર જયારે આફ્ળી પરજુ, ઘોડે ફર બાંધીયા ઘેર,
જામ કટક દડી જેમ જીત્યા , તેદી સોમલીયે પકડી શમશેર,

કાઠીને પડે જઈ કસાલો , તેજકળા મખ ચડે તેદી,
હાર્યા તણો ઈરાદો હાડે , કાઠી વરણ ને ના હોઈ કદી,

ભાયતણો કહે ભુપતિઓ, રાખો કુળની રીત રદે,
કવિયા થકી જો પાંતરે કાઠી, તો વેળા પરમાણ વદે,

કાળું કહે સાંભળો મેપત, જાયર આથ વાવરે જાન,
પટાધર કુળ વીણ ના પાકે, ધરતી વીણ ના પાકે ધાન,

વરવે – બીયા શિખામણ વાળો, ફર બોલા ન ભૂપ ફરે,
ના કાઠી ની વાત કરતા, કાઠી હોય ત્યાં વગત કરે,

અમથી શું વેર વિહળા…

(પાળીયાદ પંચાળ નું પ્રગટ પીરાણું જ્યાં પરમ પૂજ્ય વિસામણબાપુ ની વિશ્વ પ્રખ્યાત જગ્યા આવેલી છે. હજારો ભક્તો ના કષ્ટ હર્યા છે. અને  આસ્થા સાથે ભક્તો દર્શને આવે છે. અને પોતાના કષ્ટો નું નિવારણ રૂપી શીતળ છાયા મેળવી ધન્યતા અનુભવે છે. એવા પરમ પૂજ્ય વિસામણબાપુ ને કાલી ઘેલી ભાષા માં વિનવણી અને ફરિયાદ રૂપી પ્રાર્થના કરી છે.)

અમથી શું વેર વિહળા, ન આવ્યો કષ્ટ હરવા,
આંખે નીંદર ઘેરાણી, કે અંગે આળસ ભરાણી.
નાગર નરસૈયો ભીડે ઘેરાયો, હદય તારે ડૂમો ભરાયો,
કળિયુગ ભલે કઠણ રહ્યો, તું હાથ હાર લઇ દોડ્યો.
જામીન  બની જદુનાથ, ધર્યો ભક્ત પ્રભુપાદ.
અમથી શું વેર વિહળા……

દૈત્ય ભ્રાત દશાનાનનો, શરણે આવ્યે ઉગાર્યો,
બિરુદ ધરી સૂર્યવંશનું, અર્થ શરણ અભ્યાગતનો વધાર્યો.
બની તે રાજા રામૈયો, વંશ રઘુ તણો દીપાવ્યો.ઇન્દ્ર કોપી વ્રજમાં વરસ્યો, તું અભિમાન ઓગળવા તરસ્યો.
આંગળીએ ધરી ગોવર્ધન પર્વતને, પ્રભુ થઇ તું સ્થપાયો.
માનવ બની ગોકુળમાં, ભક્ત ઉધારવા અવતર્યો.
અમથી શું વેર વિહળા……

કોલવો ભક્ત બેઠો હઠ કરીને, તારે આથમણે દ્વાર.
પાછો ફરી દઈ  દર્શન માધવા, દિન ભક્ત ને ઉદ્ધાર.
ફરી ઉગમણેથી આથમણે, ઉઘાડ્યા વિશ્વાસના દ્વાર.

પાંડવ કુળ  કાજ પરમેશ્વર, દિન-રાત તું જાગ્યો.
દ્રૌપદીના પાત્રને અક્ષય બનાવી, જગને જમાડ્યો.
લાજ ને લાખાગ્રહ થી બચાવી, કુલ પાંડવ બચાવ્યો.
અમથી શું વેર વિહળા……

મારવાડ મૂકી કાઠિયાવાડમાં અવતાર લઇ સંચર્યો.
કાઠી  કુળ  ઉજાળવા, ઠાકર માનવ બની અવતર્યો.
પાળીયાદે ગંગોત્રી, જમનોત્રી આવકારી ખવડ ઉધાર્યો.
અમથી શું વેર વિહળા……

પાળીયાદ ને આંગણે પ્રભુ પંડ્યે રામદેવ પધાર્યો.
ગેબી ને ચંદન નાથની કૃપા થી, ધર્મ વધાર્યો.
કાઠીનો કાઠીયાવાડ બચાવી, તેને ઉગાર્યો.
અમથી શું વેર વિહળા……

પૃથ્વીનો પાલનહાર, પ્રભુ કાળીયો કિરતાર.
ધરમ ની ધજા ફરકે, પાળીયાદ વિસ્તાર.
તારી આંખો માં વરસે પ્રેમ ની અખૂટ ધાર.
અમથી શું વેર વિહળા……

અમે દિન, મતી હીન, ભૂલ્યા અમે સત કેરી કેડી.
નાથ તારો બાળક જાણી ઉગારજે ખોળે તેડી.
તોડજે હીણા કર્મો અને વ્યસનો તણી બેડી.
અમથી શું વેર વિહળા……

 -ખવડ જયરાજ રવુભાઇ  ની  ઠાકર ના ચરણે આરદા…

 

img_header_temp-u2195
જગ્યા નું મુખ્ય મંદિર, શ્રી રામ દરબાર

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

કૌન જાને…

જગમે કિંમત નાહીં ઇનકે બીના ઇનકો,
પુણ્યનકો કૌન જાણે યહી બીના પાપકો.

નૈનન કો કૌન જાને યહી બીના દ્રષ્ટિકો,
અન્ન કો કૌન જાણે યહી બીના ભૂખકો.

વિધાકો કૌન જાને યહી બીના વિનયકો,
તરવારકો કૌન જાણે યહી બીના હાથ પાનીકો.

ભગવાનકો કૌન જાણે યહી બિન ભકતનકો,
“પથિક” કો કૌન જાણે બિન તેરી કૃપાનકો.

તા: 6ઠી મેં 2013

જસદણ જતા, લાલાવદર

મા ઉપરના દુહા

નામ ઃ દુલા ભાયા કાગ -”કાગ બાપુ”-
જન્મ ઃ ૨૫-૧૧-૧૯૦૨
અવસાન ઃ ૨૨-૦૨-૧૯૭૭
જન્મસ્થળ ઃ મજાદર ( તા.મહુવા, જિ.ભાવનગર )
અભ્યાસ ઃ પાંચ ધોરણ
કાવ્યગ્રંથ ઃ કાગવાણી ઃ ભાગ ૧,૨,૩,૪,૫,૬,૭

ગિયા માસ ગળ્યે, તો હાડે હેવાયા કરે;
(ઍ) માતા જાય મર્યે, (ઍને) કેમૅ વિસરિઍ, કાગડા ?
ચિન્ધે ન છોરુને, લથડિય અગડા લિયે;
મરતા લગ માને , કેમ વિસરિયે , કાગડા ?
પન્ડમા પિડ ઘણિ, સાતિને હસતિ સદા;
માયા માત તણિ, કેમ વિસરિયે , કાગડા ?
કુટુમ્બ ક્લેશ અપાર, કિધા ન પુતરને કદિ;
ઍવા ઝેર જીરવણહાર, કેમ વીસરીઍ, કાગડા ?
જમ જડાફા ખાય , મોતે નળ્ય માંડિયુ;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
ધમણે શ્વાસ ધમાય, ઘટડામા ઘોડા ફરે;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
તો અંગ અઘળા તાવ, પૂતર તળ પૂછે નઇં;
(પણ) ભળ્યો ન બીજો ભાવ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
કિધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણા લગી;
ન કર્યા દુઃખડા નેણ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
આખર ઍક જતાં, ક્રોડ્યું ન આખર કામના;
મોઢે બોલુ ‘મા’, કોઠાને ટાઢક, કાગડા!
મોઢે બોલુ ‘માં’, સાચેંય નાનપ સાંભરે;
(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !
ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !
મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !
મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !
જનની કેરુ જોર, રાઘવને રે’તુ સદા;
(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !
ઘુમી ન ઘુઘવતાં, ખોળે ધાવીને ખેલતા;
(એ) ખોળે ખોજીતાં,ક્યાંયે ન મળે, કાગડા !
મોટાં કરીને મા, ખોળેથી ખસતાં કર્યા;
ખોળે ખેલવવા, (પાછા) કરને બાળક, કાગડા !
અમ્રુત ભરિયલ આપ, તુંકારા જનની તણા;
બીજા ભણતા બાપ, કોરા આખર, કાગડા !
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
(પણ) તરો તુંકારો, ક્યાંય ન મળે, કાગડા !
માતા તો મનમાં ઊણપ કદી ન આણજે
(મારે) ઊભી અંતરમા, (તારી) કાયમ છબી, કાગડા !
માડી સું મનમાંય કોઈ કૂડો સંકલપ કરે,
(એથી) દોઝખ પણ દુભાય, કળ ન સંઘરે, કાગડા !
જનની સામે જોઇ, કપુત તુંકારા કરે,
જ્યાં જ્યાં જનમે હોય કડવું જીવન, કાગડા !
માતા કેરા માન, હરિયા તન હેતે કરી,
ધોડે આગળ ધાન, (પણ) કદી ન આંબે , કાગડા !
માના હરિયા માન, કૌરવ કચેરી મધે,
રહી ન રસણા કાન, કહેવા સાંભળવા કાગડા !
જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથ છેવટ, કાગડા !
કવિ શ્રી દુલા ભાયા કાગ [કાગ બાપુ]

દુહા છંદની રમઝટ

ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,
ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,
જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,
મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.
જીય મરદ કસુંબલ રંગ ચડે–

રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,
ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,
મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–
જીય મરદ કસુંબલ રંગ ચડે–

ફોરેનર અમારા ગામ માં અને અમારી શાળા માં આવ્યા ત્યારની બોલતી તસ્વીરો

અમારી સાયલા તાલુકા ની નામના પ્રાપ્ત શાળા પ્રાર્થના માં વાજીંત્રો (મંજીરા) વગાડવા નો આનંદ માણી રહેલા વિયેતનામ, બ્રીટન, અને ફીનલેન્ડ ના મુલાકાતીઓ સાથે અમારી શાળા ના શિક્ષકો શ્રી રમેશભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી ભાવજીભાઇ, શ્રી વિનેશભાઈ અને મધુર કંઠે ગાયન કરતા વિધાર્થીઓ
ધોરણ-8 અને ધોરણ-7 ના વિધાર્થીઓ સાથે બ્રિટન થી આવેલ મુલાકાતી ની કચરા નો કેવી રીતે નિકાલ કરવો તે મુદ્દા પર વાત-ચિત કરે છે અને ભાષા શિક્ષક શ્રી વિધાર્થીઓ ને સમજાય તેવી ભાષા માં યથાયોગ્ય ભાષાંતર કરી આપી વિધાર્થીઓ અને ફોરેનેર ના સંવાદ ને ન્યાય આપે છે

સર્જન ને પ્રશ્ન

રામ નો વનવાસ ક્યારે પૂરો થશે?
મંદિર થી નીકળી ક્યારે હૈયે વસે?

આજ રાવણો ના માથા કેમ કરી ખૂટે?
આ નાગ પોતાની પૂછડીએજ કેમ ડસે?

બીજા ને પીડી માનવ શા માટે હસે?
એ ભરત થઇ ખુરસી થી ક્યારે ખસે?

“પથીક” માણસ થી માણસ કેમ નાસે?
આખી દુનિયા મો છુપાવી કેમ શ્વસે…?

મારી પાપા પગલીઓ…!!

આજ એમની યાદો ને ઇન્કાર કરવાની કોઈ ઈચ્છા નથી,
આંખો માં શ્રાવણીયો ભાર છે, વરસવા ની કોઈ ઈચ્છા નથી.

એ પથ્થર થઇ પૂજાવા લાગ્યા, પ્રણામ ની કોઈ ઈચ્છા નથી.
હું માંગું તો બ્રહ્માંડ નું રાજ મળે, ભિખારી બનવાની ઈચ્છા નથી.

નયનો માં શમાણા નો શણગાર, નીરખવા ની કોઈ ઈચ્છા નથી.
મારી ફરતે કાંટાળા ફૂલો ના ઢગલા, આળોટવા ની કોઈ ઈચ્છા નથી.

“પથીક” હુકમ ના એક્કા જેવી જીંદગી જીવ્યો, સાહ્યબી ની ઈચ્છા નથી.
મિજાજ છે હમેશા કારણ જેવો, સ્વાસો નું કવચ કરવા ની ઈચ્છા નથી.

Newer Posts
Older Posts

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે….

મારું સરનામું

મુ. ખીટલા
તાલુકો. સાયલા
જીલ્લો. સુરેન્દ્રનગર
પીનકોડે. 363440

ફોન નંબર: 9408146061
ઇમૈલ: jayraj.kathi89@gmail.com